લખાણ પર જાઓ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

વિકિપીડિયામાંથી
WikitanvirBot (ચર્ચા | યોગદાન) (r2.7.1) (રોબોટ ઉમેરણ: fa:پارک ملی جنگل گیر) દ્વારા ૦૪:૩૭, ૬ મે ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
માનચિત્ર, વનવિભાગ, ગુજરાત [૧]

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય, (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ,તે કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય) ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન,જુનાગઢથી લગભગ ૬૫ કી.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે.

એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાનાં અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર (ecosystem),તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ,વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે.જુનાગઢના નવાબ દ્વારા,સને ૧૯૦૦ની શરૂઆતથી,ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેની વસ્તી શિકારની પ્રવૃતીને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલીજ રહી ગઇ હતી.

એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨ નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં,બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે.

આબોહવા

શિયાળો અને ઉનાળો એ બે ઋતુઓ સીવાય,ગીરમાં ઉષ્ણકટિબંધીય ચોમાસુ પણ હોય છે. ઉનાળામાં અહીં બહુજ ગરમી પડે છે,બપોરના સમયે તાપમાન ૪૩°સે. કે ૧૦૯°ફે. જેટલું હોય છે,અને ચોમાસા દરમીયાન જૂનમાસમાં ભેજ પણ ઘણો હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦°સે. કે ૫૦°ફે. જેટલું નીચું આવી જાય છે. અહીં સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઇ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે, જે દરમીયાન વાર્ષીક વરસાદનો દર ૬૦૦ મીમી.થી ૧૦૦૦ મીમી. જેટલો રહે છે,જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં દુકાળ પડવો તે સામાન્ય ગણાય છે.

ઉદ્યાન અને અભયારણ્ય,જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે,પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં,નવેમ્બરનાં અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે.આ સમય દરમીયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

ભુગોળ

ગીર National Park and Gir Wildlife Sanctuary

જળસ્ત્રોત

ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મછુન્દ્રી, ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે હિરણ,મછુન્દ્રી,રાવલ અને શિંગોડા પર,આવેલ છે તે સહીત સૌથી મોટો જળસ્ત્રોત કમલેશ્વર બંધ,કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળસ્ત્રોતો છે.

ભરઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાનાં મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી,અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ભરઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વનવિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે.


વનસ્પતિ સૃષ્ટિ

ઈ.સ. ૧૯૫૫માં સમ્તાપાઉ એંડ રાઈઝાદા દ્વારા કરાયેલ ગીર જંગલના સર્વેક્ષણ અનુસાર અહીં વનસ્પતિની ૪૦૦થી વધુ પ્રજાતિઓ મળી આવી હતી. વડોદરાની મહરાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેમના સર્વેક્ષણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે. ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વર્ગીકરણમાં આને "5A/C-1a—અતિ શુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું. સાગ શુષ્ક પાનખર પ્રજાતિ તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વર્ગીકરણમાં તેનેઆ રીતે વર્ગીકૃત કરાયું છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક સવાના જંગલ (સ્થાનીય રીતે તેને વીદીસ તરીકે ઓળખાય છે). પશ્ચિમ ભારતનું આ સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે.

સાગન વૃક્ષો ધરાવતો ભાગ જંગલના પૂર્વી ભાગમાં છે જે આ ક્ષેત્રનો અડશો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂર્ણ જૈવિક સંશોધન ક્ષેત્ર હોવા સાથે એક વૈજ્ઞાનિકૢ શૈક્ષણિકૢ મનોરમ અને મનોરંજક મહત્ત્વ ધરાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લગભગ ૫૦૦૦૦૦૦ કિગ્રા વાર્ષીક વાવેતર દ્વારા પુરૂં પાડે છે જેની કિંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વર્ષે ૧૫૦૦૦ મેટ્રીક ટન જેટલું બળતણ પુરૂં પાડે છે.

વન્યસૃષ્ટી

૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૮ સસ્તનૢ ૩૦૦ પક્ષીઓૢ ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.

માંસાહારીમાં મુખ્યત્વે અશિયાઈ સિંહ, ભારતીય ચીત્તો, જંગલી બિલાડો, ચટ્ટાપટ્ટાવાળો તરસs, સોનેરી શિયાળ, ભારતીય નોળિયો, ભારતીય પામ જબાદી, અને રતેલ. રણ બિલાડી અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે.

શકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, નીલગાય (કે બ્લુબુલ), સાબર, ચારસિંગા કાળિયાર, ચિંકારા અને જંગલી ડુક્કર. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.

ચિત્ર:Kamleshwar reservoir.jpg
તળાવનું વિહંગમ દ્દશ્ય

નાન સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાંસામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર કાદવનો મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને મોનીટર ગરોળી જળ સ્ત્રોતની આજુબાજુ. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારેઅજગરજોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતોૢ તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉચારેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં

ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતમક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. ଑અક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે કલગી ધારી સાપ ગરુડ, નામશેષ બોનેલ્લીનું ગરુડ, કલગી બાજ-ગરુડ, કથ્થઈ માછલી ઘુવડ, વિશાળ શિગા ઘુવડ, છોડ ક્વાઈલ (કે ક્વાઈલબુશ), પીગ્મી લક્કડખોદ, કાળામાથું ઓરિઓલ, કલગી ટ્રીસ્વીફ્ટ અને ભારતીય પીત્તા. ૨૦૦૧ની વસતિ ગણતરીમાં ભારતીય રાખોડી હોર્નબિલ ના દેખાયું.



એશિયાઇ સિંહનો આવાસ,વિતરણ અને વસ્તી

Asiatic Lion at Gir

એશિયાઇ સિંહનો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે.આ સિંહો એક સમયે ઉત્તર આફ્રિકા,દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા. હવે અંદાજે ૩૫૦ જેટલા સિંહોજ જંગલમાં બચ્યા છે,જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે.

આમતો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત કરાયેલ છે,છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે.તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે.ક્યારેક જળપ્રલય, આગ, મહામારીઓ અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે.ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.

સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી

વર્ષ સંખ્યા નર:માદા:બચ્ચાં
૧૯૬૮ ૧૭૭ -
૧૯૭૪ ૧૮૦ -
૧૯૭૯ ૨૦૫ ૭૬:૧૦૦:૮૫
૧૯૮૪ ૨૩૯ ૮૮:૧૦૦:૬૪
૧૯૯૦ ૨૮૪ ૮૨:૧૦૦:૬૭
૧૯૯૫ ૩૦૪ ૯૪:૧૦૦:૭૧
૨૦૦૦ ૩૨૭ -
૨૦૦૫ ૩૫૯ -
૨૦૧૦ ૪૧૧ ૯૭:૧૬૨:૧૫૨

સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના રખરખાવનું કાર્ય કરવામાં આવે છે. અશિયાઈ સિંહોના વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રીમ વીર્યસેચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેંદ્ર જુનાગઢના સાકરબાગ પ્રાણીબાગ માં આવેલું છે જેણે લગભગ ૧૮૦ જેટલાં સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેંદ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગો આદિમાં ૧૨૬ શુદ્ધ અશિયાઈ સિંહો મોકલાવ્યાં છે.

દર પાંચ વર્ષે સિંહોની વસતિ ગણતરી કરાય છે. પહેલાના સમયમાં સિંહોના પંજાને શોધી ને વસતિ ગણવાના પરોક્ષ રીતો અપનાવાતી હતી. પણ, એપ્રિલ ૨૦૦૫ની વસતિ ગણતરીમાં (જે આમ તો ૨૦૦૬માં કરાવાની હતી પણ ભારતમાં વાધની નામશેશ થતી પ્રજાતિ ના અહેવાલને કારણે વહેલી કરાવાઈ), "ક્ષેત્રીય-સીધી-કુલ ગણના" રીત જંગલ વિભાગના ૧૦૦૦ કર્મચારીઓ વિશારદો અને સ્વયંસેવકોની મદદ લઈને હાથ ધરાઈ. આનો અર્થ એમ થયો કે જેમની ગણના થઈ તેમને આખે જોવાયા હતાં. આ વખતે જીવંત શિકારની પદ્ધતિને અપવાઈ ન હતી. ગુજરાત હાઈ કોર્ટૅનો પ્રાણીઓને વાપરવા વિરોધી નો સન ૨૦૦૦નો આદેશ આનું કારણ હતું.

ગીર પરિચય વિભાગ, દેવળીયા

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ ક્ષેત્ર અંકિત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિત્વથી થતાં ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પરિચય ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. આની સાંકળવાલી વાડની ભીતર ગીરમાં જોવા મળતી બધી પ્રજાતિ તેમને ખવડાવવુંૢ તેમનું જીવન ૢ પાંજરામાં માંસાહારી પ્રાણીઓૢ દ્વી-દ્વાર પ્રવેશ આદિ જોઈ શકાય છે. સામાન્ય રીતે આની સીમા ની અંદર ૧૦ ટીપકાંવાળા હરણૢ ૧૦૦ નીલ ગાયૢ ૧૫ જંગલી ડુક્કરૢ અડધોડઝન સાબર અને કાળીયાર, ને અન્ય પશુઓ સરીસૃપો અને પક્ષીઓ સાથે રાખવામાં આવ્યાં છે. આ સાથે મર્યાદિત સંક્યામાં પ્રવાસીઓને નિર્ધારીત માર્ગે જવાની પરવાનગી અપાય છે. આ ક્ષેત્રની મુલાકાત લેવાનો આદર્શ સમય છે વરસાદ પછીનો.

એશિયાઇ સિંહ પરિચય પરિયોજના

છેલ્લાં એક દાયકાથી વિશ્વની બીજી માનવ વસતિ રહીત અશિયાઈ સિંહ અરણ્યની યોજના પર કામ ચાલી રહ્યું છે. ભારતીય વન્યજીવ સંસ્થાન ના સંશોધકોએ પુષ્ટિ કરી છે કે પાલપુર-કુણો વન્યજીવન અભયારણ્ય એશિયાઈ સિંહના નવા પુનર્વસન સ્થાન તરીકે સૌથી ઉપયુક્ત સ્થળ છે અને તે સિંહોના પ્રથમ જૂથના પુનઃ વસવાટ માટે તૈયાર છે. [૨] ગીર વન્યજીવન અભયારણ્યમાં હવે સિંહોની વસતિ અત્યંત વધીએ ગઈ છે. કુનો વન્યજીવન અભયારણ્ય ને પસંદ કરાઈ ૧૮૭૩ સુધી માં આજ સ્થળે સિંહોની વસતિ હતી જ્યાં તેમનો શિકાર કરીને તેમને નામ શેષ કરી દેવાયા હતાં.[૩]



ચિત્રો

ગીરનાં જંગલના ચિત્રો:


આ પણ જુઓ

નોંધ

  1. http://gujaratforest.gov.in/index.htm Forest Department of Gujarat
  2. Preparations for the reintroduction of Asiatic lion Panthera leo persica into Kuno Wildlife Sanctuary, Madhya Pradesh, India by A.J.T. Johnsingh, S.P. Goyal, Qamar Qureshi; Cambridge Journals Online; Oryx (૨૦૦૭), ૪૧: ૯૩-૯૬ Cambridge University Press; Copyright © ૨૦૦૭ Fauna & Flora International; doi:૧૦.૧૦૧૭/S૦૦૩૦૬૦૫૩૦૭૦૦૧૫૧૨; Published online by Cambridge University Press ૦૫Mar૨૦૦૭
  3. Ravi Chellam and A.J.T. Johnsingh (૧૯૯૯), Translocating Asiatic Lions, India RE-INTRODUCTION NEWS No. ૧૮, Page ૧૧

સંદર્ભ