લખાણ પર જાઓ

જનરલ સામ માણેકશા

વિકિપીડિયામાંથી
HRoestBot (ચર્ચા | યોગદાન) (r2.6.5) (રોબોટ ઉમેરણ: ru:Манекшоу, Сэм) દ્વારા ૨૨:૨૦, ૨૭ માર્ચ ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
ચિત્ર:Maneksha.jpg
ફિલ્ડ માર્શલ સામ માણેકશા

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ - સત્તાવીસ જૂન, ૨૦૦૮) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

જીવનવૃતાંત

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયું હતું. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.


૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.

સૈનિક જીવન

૧૭મી ઇંફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમ એ પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘ માં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રંટિયર ફોર્સ રેજિમેંટ ના કેપ્ટન ના પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમ્યાન સેતાંગ નદી ના તટ પર જાપાનીઓ થી યુદ્ધ લડતા તેઓ ગંભીર રુપે ઘાયલ થઈ ગયા હતાં.

સ્વસ્થ થતા માણેકશા પહલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સ ની ૧૪મી સેના ના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સ માં લેફ્ટિનેંટ બની બર્મા ના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા, અહીં તેઓ ભીષણ લડ઼ાઈ માં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમ ને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.

૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ ૧૯૪૭-૪૮ ની કાશ્મીર ની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યા ને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે ૧૯૬૮ માં પદ્મભૂષણ સે પુરસ્કૃત કરાયા ૤

૭ જૂન ૧૯૬૯ ના સૅમ માનેકશૉ જનરલ કુમારમંગલમ પછી ભારત ના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં ના જથ્થા પૂર્વી પાકિસ્તાન થી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘ અવશ્યંભાવી થઈ ગયો, ડિસેમ્બર ૧૯૭૧માં એ આશંકા સત્ય સિદ્ઘ હુઈ, સૅમ ના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાન ની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવા ને અનુલક્ષી તેમને ૧૯૭૨ માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દશકોં સુધી દેશ ની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જનવરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના પદ થી સેવાનિવૃત્ત થયાં.

વ્યક્તિત્વ ના અમુક રોચક આયામ

માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

વાહ્ય સૂત્ર