લખાણ પર જાઓ

શ્રીમદ્ ભગવદ્ ગીતા

વિકિપીડિયામાંથી
KamikazeBot (ચર્ચા | યોગદાન) (r2.7.3) (Robot: Modifying gl:Bhagavad-ghitá to gl:Bhagavad Gita) દ્વારા ૧૪:૫૫, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

શ્રીમદ્ ભગવદ્ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદૂ ધર્મ ગણાતો હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.
ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. પુરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે.
ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.

પૃષ્ઠભૂમિ

ભારતના બે મહાકાવ્યો પૈકીનું મહાભારત કાવ્ય મહાકવિ વેદવ્યાસ દ્વારા લખાયેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે. અને કોઇ જ માર્ગ ન સુઝતા કૃષ્ણને માર્ગદર્શન પુછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનુ પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મે તને બતાવ્યુ હવે તારે જે પ્રમાણે વર્તવુ હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશુ કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે.

ગીતાના અધ્યાયો ના નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા.

અધ્યાય

ચિત્ર:BhagvatGita.jpg.jpeg

૧. અર્જુનવિષાદ યોગ
૨. સાંખ્ય યોગ
૩. કર્મ યોગ
૪. જ્ઞાનકર્મસંન્યાસ યોગ
૫. કર્મસંન્યાસ યોગ
૬. આત્મસંયમ યોગ
૭. જ્ઞાનવિજ્ઞાન યોગ
૮. અક્ષરબ્રહ્મ યોગ
૯. રાજવિધ્યારાજગુહ્ય યોગ
૧૦. વિભૂતિ યોગ
૧૧. વિશ્વરૂપદર્શન યોગ
૧૨. ભક્તિ યોગ
૧૩. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ
૧૪. ગુણત્રયવિભાગ યોગ
૧૫. પુરુષોત્તમ યોગ
૧૬. દેવાસુરસંપદ્વિભાગ યોગ
૧૭. શ્રદ્ધાત્રયવિભાગ યોગ
૧૮. મોક્ષસંન્યાસ યોગ

ભાષાંતરો અને વિવેચનો

શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે - રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.

૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિનસ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુ નામ છે - ધ સોંગ સેલેશીયલ
સ્કલેગેલે ગીતાનો લેટીનમા અનુવાદ ૧૮૨૩માં કર્યો.
વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ ગીતા ભાષા ટીકા--Santswamiji ૨૨:૩૭, ૧ ઓકટોબર ૨૦૦૯ (UTC)

મહાપુરુષોના જીવનમાં ગીતા

પાંડુરંગશાસ્ત્રિજી ના મત મુજબ

Gita is a versatile and simplest derivative of Vedas. It is simplified so that any human being can understand with his own level of intelligence. There is fix way or interpretation we can impose, As this is the holy book for designed for human kind, I would say, it can be explained five ways, in this respect no one is correct and complete, keep open mind, heart and accept what make sense. Each one has to travel though their own journey and reach to destiny. Most Saints suffered miserably. If you try to find the answer..those are assumptions, nothing can be proved tangibly and with evidences. (a) Literal way.....30% Indians of those who understand Gita are in this group. (Foreigners 1 in a million) (b) Emotional way...Find love, appreciation, motivation, inspiration and/or guidance. 25% of those understand Gita fall in this category. (c) Philosophical way.. Find comparision that make sense to all followers and applicable to whole universe.10% in this group. (d) Pragmatic way.. I want to use it now in the current confuse/problem situation, what is the answer? 5% in this group. (e) Spiritual way.. Adhyatmic meaning consisting of "sing; show; start; seek and shut-up" these are base more non-verbal and more actual observation based form behaviour and experience of the person who is spiritual and shudhatma. In my opinion it will be a big mistake to even make understand Gita loves beyond step (c). Steps (d) and (e) needs recognition of Dharm guru and require thousands of followers. I have studied Gita under Dadaji guidance/discourses/books and have gone through all so called exams. and have tried to incorporate into my personal life style and I call it Swadhyay and I am still a student and a starter. I will not encourage anybody and myself to engage into argument and discussion about any holy book.

આધુનિક જીવનમાં ગીતા

બાહ્ય કડીઓ